સુરત ઉધના સ્ટેશન પર હાહાકાર! 25 હજાર લોકો એકસાથે કેમ ભાગ્યા? સાચું કારણ બહાર આવ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, એપ્રીલ 2026 | 2475
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે ભારે અફરાતફરી જોવા મળી, જ્યાં હજારો મજૂરો ટ્રેનમાં ચઢવા માટે ઉમટી પડ્યા. ગરમી, ભીડ અને ટ્રેનોની અછતને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
આ ઘટના પાછળ કામની અછત, મોંઘવારી અને સુરતમાંથી મજૂરોના વધતા પલાયન જેવા ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે. ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ પર પડતી અસર પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવામાં આવી રહી છે.