દિલ્હી-
દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા ૩.૪૯ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને ઓક્સિજનની અછત જાેવા મળી રહી છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ ઓક્સિજનની સમસ્યા પર મોટો ર્નિણય લીધો છે.
મળતી માહિતી મુજબ દેશમાં ૫૫૧ નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. આ માટે પીએમ કેયર્સ ફંડમાંથી ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ ઓક્સિજન પ્લાન્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ સરકારી હોસ્પિટલોની અંદર લગાવવામાં આવશે. પીએમ મોદી આ પ્લાન્ટને જેમ બને તેમ જલદી કાર્યરત કરવાના આદેશ આપ્યા છે. આ કાર્ય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરાશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા ૩,૪૯,૬૯૧ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૬૯,૬૦,૧૭૨ પર પહોંચ્યો છે. જેમાંથી ૧,૪૦,૮૫,૧૧૦ દર્દીઓ રિકવર થયા છે જ્યારે ૨૬,૮૨,૭૫૧ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી ૨૭૬૭ દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૯૨,૩૧૧ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં ૧૪,૦૯,૧૬,૪૧૭ લોકોને રસી આપવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments