દિલ્હી-

દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા ૩.૪૯ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને ઓક્સિજનની અછત જાેવા મળી રહી છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ ઓક્સિજનની સમસ્યા પર મોટો ર્નિણય લીધો છે.

મળતી માહિતી મુજબ દેશમાં ૫૫૧ નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. આ માટે પીએમ કેયર્સ ફંડમાંથી ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ ઓક્સિજન પ્લાન્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ સરકારી હોસ્પિટલોની અંદર લગાવવામાં આવશે. પીએમ મોદી આ પ્લાન્ટને જેમ બને તેમ જલદી કાર્યરત કરવાના આદેશ આપ્યા છે. આ કાર્ય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરાશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા ૩,૪૯,૬૯૧ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૬૯,૬૦,૧૭૨ પર પહોંચ્યો છે. જેમાંથી ૧,૪૦,૮૫,૧૧૦ દર્દીઓ રિકવર થયા છે જ્યારે ૨૬,૮૨,૭૫૧ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી ૨૭૬૭ દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૯૨,૩૧૧ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં ૧૪,૦૯,૧૬,૪૧૭ લોકોને રસી આપવામાં આવી છે.