એકસાથે ૫૦૦ લોકો બીમાર પડતાં હડકંપ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026  |   2376

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના કારણે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નર્મદાના પીવાના પાણી સાથે ડ્રેનેજનું ગંદુ પાણી મિક્સ થવાથી છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી અને પેટ સંબંધિત બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. માહિતી મુજબ, આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા ૫૦૦થી વધુ લોકો આ બીમારીનો ભોગ બન્યા છે. છેલ્લા ત્રણ દિવસથી અનેક પરિવારોમાં એક પછી એક લોકો બીમાર પડી રહ્યા છે, જેના કારણે સમગ્ર સોસાયટીમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે પ્રદૂષિત પાણી અંગે અગાઉ પણ અનેક વખત સંબંધિત વિભાગોને રજૂઆતો કરવામાં આવી હતી. છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રની નિષ્ક્રિયતા અને અધિકારીઓની આળસવૃત્તિને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી ભળી જવાના કારણે પાણી પ્રદૂષિત બન્યું હતું. આ પાણીનો ઉપયોગ કરનાર અનેક લોકોમાં ઝાડા, ઉલ્ટી, પેટમાં દુખાવો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ જાેવા મળી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ સમસ્યાની અસર વધુ જાેવા મળી હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થિતિ ગંભીર બનતા અને મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું. છસ્ઝ્રની મેડિકલ ટીમ તાત્કાલિક આકાંક્ષા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી અને આરોગ્ય સંબંધિત તપાસ શરૂ કરી હતી. ટીમ દ્વારા દર્દીઓની સ્થિતિ, પાણીના નમૂનાઓ અને રોગચાળાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદો લાંબા સમયથી કરવામાં આવી રહી હતી, પરંતુ અધિકારીઓએ સમયસર ધ્યાન આપ્યું નહોતું. જેના કારણે આજે સેકડો લોકો બીમાર બનવાની પરિસ્થિતિ સર્જાઈ છે. રહેવાસીઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને સંબંધિત વિભાગોને તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. સાથે જ અસરગ્રસ્ત લોકોને જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. એએમસી દ્વારા પાણીની લાઇનો, ડ્રેનેજ કનેક્શન અને અન્ય ટેકનિકલ ખામીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રદૂષણનું ચોક્કસ કારણ શોધવા માટે પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્થાનિકોમાં હાલ પણ ભય અને અસંતોષનો માહોલ છે. લોકોનું કહેવું છે કે જાે સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર ન પડ્યા હોત. હવે તમામની નજર તંત્ર દ્વારા લેવામાં આવનારા પગલાં અને તપાસના પરિણામો પર છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા અને નાગરિક સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તંત્ર માટે હવે માત્ર સારવાર પૂરતી નહીં પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કાયમી ઉકેલ લાવવો પણ એટલો જ જરૂરી બન્યો છે


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution