PM મોદીનો પ્રવાસ એકાએક રદ્દ: નહીં આવે 5મી સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
26, ઓગ્સ્ટ 2021 594   |  

અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાંચમી સપ્ટમ્બરે શિક્ષક દિનના દિવસે ગુજરાત પ્રવાસે આવવાના હતાં પરંતુ તેઓનો પ્રવાસ અચાનક જ રદ્દ થયો છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલના એક્સલન્ટ ઓફ સ્કૂલનું લોકાર્પણ કરવાના હતાં. દિલ્હીથી આવેલા અધિકારીઓએ ગઇ કાલે કમાન્ડ એન્ડ કંટ્રોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સેક્રેટરીઓ સાથે યોજાયેલી બેઠકમાં PM મોદીનો કાર્યક્રમ રદ કર્યાની જાણકારી આપવામાં આવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution