નાઇઝર-
નાઇજિરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અલગાવવાદીઓએ પોલીસ અને સેના પર હુમલો કરીને સરકારી ઇમારતો અને જેલને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલામાં જેલમાં બંધ આશરે ૨૦૦૦ કેદી ભાગી ગયા છે. આ હુમલામાં આશરે છ પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે.
અધિકારીઓના હુમલા પછી કેટલાય કેદીઓ જેલથી ભાગી નીકળ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલો ઓવેરી શહેરમાં થયો હતો, જે આશરે બે કલાક સુધી જારી રહ્યો હતો. બંદૂકધારીઓએ આ દરમ્યાન કેટલીક સરકારી મકાનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ નાઇજિરિયાના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસે અલગાવવાદીઓને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. આ જેલમાં આશરે ૨૦૦૦થી વધુ કેદીઓ હતા. નાઇજિરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારી આરોગ્ય સંબંધી કારણોથી બે સપ્તાહ માટે લંડનમાં છે અને તેમણે ત્યાંથી આ હુમલાની નિંદા કરી હતી. તેમણે હુમલાને આતંકવાદી કૃત્ય ઘોષિત કર્યું હતું. આ ઘટના પછી આસપાસનાં બે શહેરોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. બંદૂકધારીઓએ ગયા મહિને કમસે કમ છ પોલીસોનાં મોત થયાં હતાં.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments