પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર  : જિંદગીમાં જાેયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, મે 2026  |   3465

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ‘બડા મંગલ’ના ખાસ પ્રસંગે તેમણે ચુરુઆ હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી બજરંગબલીના દર્શન કર્યા હતા. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ અત્યારે મુખ્ય મુદ્દા પરથી ભટકવા નથી માંગતા અને આ સમયે દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જ સૌથી મોટો અને ગંભીર મુદ્દો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે સીધા પીએમ મોદીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, આજે જ્યારે દેશ અને દુનિયા સામે આટલો મુશ્કેલ સમય આવી રહ્યો છે, ત્યારે આપણા પીએમ મોદી આખી દુનિયાના લોકોને કહી રહ્યા છે કે તમે બહાર ન જાઓ, પરંતુ તેઓ ક્યારેક વિમાન લઈને નોર્વે ચાલ્યા જાય છે, તો ક્યારેક જાપાન કે અન્ય કોઈ જગ્યાએ જતા રહે છે.’ રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘સરકારની ખોટી નીતિઓના કારણે આગામી દિવસોમાં દેશની સામે ઘણો કપરો સમય આવવાનો છે. સરકાર અને દેશના મોટા ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, દેશમાં જે આ મોટો આર્થિક આંચકો આવી રહ્યો છે, તેની અસર ઉપર બેઠેલા લોકો પર બિલકુલ નહીં થાય.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution