લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026 |
1980
ચોમાસું ૪ જૂને કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગે મંગળવારે આ માહિતી આપી. અગાઉના અનુમાનમાં તે ૨૬ એપ્રિલે કેરળ પહોંચવાનો અંદાજ હતો. ચોમાસું સામાન્ય રીતે ૧ જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને આગામી દોઢ મહિનામાં સમગ્ર દેશને આવરી લે છે.
આ તરફ, જૂનની શરૂઆત સાથે ૨૩ રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા અને બિહારના ઘણા વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડું અને કરા પડ્યા. ઘણી જગ્યાએ વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું. મધ્યપ્રદેશના નીમચમાં સોમવારે રાત્રે મકાનની છત ધરાશાયી થતાં માતા-પુત્રનું મોત થયું. જ્યારે, રાજસ્થાનના જેસલમેર અને બાડમેરમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકો સહિત ૩ લોકોના મોત થયા.ઉત્તર પ્રદેશના આગ્રામાં મંગળવારે સવારે એક કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડ્યો. જેના કારણે ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું. ઘણી જગ્યાએ રસ્તાઓ બેસી ગયા હતા.