UNCC માં ભારતની કાયમી સભ્યપદ માટે રશિયાએ આપ્યુ સમર્થન 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2020  |   3465

દિલ્લી,

ચીન સાથેની સરહદ પર તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNCC) માં કાયમી સભ્યપદ માટે રશિયાએ ફરી એકવાર ભારતને ટેકો આપ્યો છે.  રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપ્યો છે. સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે રશિયાએ ભારતને પહેલેથી જ ટેકો આપ્યો છે. રશિયન વિદેશ મંત્રીનુ  નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ભારે તનાવ છે. બંને વચ્ચેની સરહદ પર તણાવ ઓછો કરવાના પ્રયાસો ચાલુ છે.

રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે કહ્યું કે આજે આપણે સંયુક્ત રાષ્ટ્રના સંભવિત સુધારાઓની વાત કરી અને યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે ભારત એક મજબૂત ઉમેદવાર છે અને અમે ભારતની ઉમેદવારીને ટેકો આપીએ છીએ. અમારું માનવું છે કે ભારત સુરક્ષા પરિષદનો સંપૂર્ણ સભ્ય બની શકે છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે ભારત અને ચીનને બહારથી કોઈ મદદની જરૂર છે, ખાસ કરીને જ્યારે આ બાબત દેશના પ્રશ્નો સાથે સંબંધિત હોય. તેઓ તેમને તેમના પોતાની રીતે સમાધાન કરી શકે છે.

RICના વિદેશ મંત્રીઓની બેઠકમાં રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે જણાવ્યું હતું કે નવી દિલ્હી અને બેઇજિંગે શાંતિપૂર્ણ સમાધાન માટેની પ્રતિબદ્ધતા તેઓએ દર્શાવી છે. તેમણે સંરક્ષણ અધિકારીઓ, વિદેશ પ્રધાનોના સ્તરે બેઠકો શરૂ કરી હતી અને બંને તરફથી કોઈએ પણ નિવેદન આપ્યું નથી તેવું સૂચવતા હતા કે તેમાંથી બંને બિન-રાજદ્વારી સમાધાનની ઇચ્છા રાખે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution