સહારા ગ્રૂપને ૧૫ દિવસમાં એસ્ક્રો એકાઉન્ટમાં ૧૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2024  |   7128

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સહારા ગ્રૂપ પર કડક વલણ દાખવ્યું છે અને તેને ૧૫ દિવસમાં અલગ એસ્ક્રો એકાઉન્ટમાં ૧૦૦૦ કરોડ રૂપિયા જમા કરવાનો ર્નિદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાે સંયુક્ત સાહસ/વિકાસ કરાર ૧૫ દિવસની અંદર કોર્ટમાં દાખલ કરવામાં નહીં આવે, તો તે વર્સોવામાં ૧૨.૧૫ મિલિયન ચોરસ ફૂટ જમીન ‘જેમ છે ત્યાં છે’ના ધોરણે હરાજી કરશે. સુપ્રીમ કોર્ટે સહારા ગ્રૂપને ૧૫ દિવસમાં અલગ એસ્ક્રો એકાઉન્ટમાં ૧૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવવાનો ર્નિદેશ આપ્યો છે. કોર્ટે સહારા જૂથને વર્સોવા, મુંબઈમાં તેની જમીનના વિકાસ માટે સંયુક્ત સાહસ રચીને રૂ. ૧૦,૦૦૦ કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાે સંયુક્ત સાહસ/વિકાસ કરાર ૧૫ દિવસની અંદર કોર્ટમાં દાખલ કરવામાં નહીં આવે, તો તે વર્સોવામાં ૧૨.૧૫ મિલિયન ચોરસ ફૂટ જમીન ‘જેમ છે ત્યાં છે’ના ધોરણે હરાજી કરશે. સુપ્રીમ કોર્ટે એક મહિના પછી આગામી સુનાવણી માટે કેસની યાદી આપવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં, ૨૦૧૨ના આદેશના પાલનમાં, રોકાણકારોને નાણાં પરત કરવા માટે જીઈમ્ૈં-સહારા રિફંડ ખાતામાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની રકમ જમા કરાવવાની છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે ૩૧ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ જારી કરેલા તેના ર્નિદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સહારા ગ્રૂપની કંપનીઓ જીૈંઇઈઝ્રન્ અને જીૐૈંઝ્રન્ વ્યક્તિગત રોકાણકારો અથવા રોકાણકારોના જૂથમાંથી એકત્ર કરાયેલી રકમ ૧૫ ટકા વાર્ષિક વ્યાજ સાથે સેબીને પરત કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution