/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

તો હવે મુકેશ અંબાણી ટીકટોક પણ ખરીદશે ? ચર્ચાએ પકડ્યું જોર

મુંબઇ-

ભારતમાં મોદી સરકારે ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ અમેરિકામાં સુરક્ષાની દ્રષ્ટિએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિકટોકના અમેરિકાના કારોબારને વેચી દેવા માટે આદેશ કર્યો છે. જે બાદ માઈક્રોસોફ્ટ ટિકટોકનો કારોબાર ખરીદી લેશે તેવી ચર્ચા છે. જ્યારે હવે ભારતમાં પણ ટિકટોક પોતાનો કારોબાર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કે જિઓને વેચી શકે છે તેવી ચર્ચાઓ છે.

એક અખબારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ટિકટોકના સીઈઓ કેવિન મેયર રિલાન્યસના ટોપનાં અધિકારઓને મળ્યા હતા. તે જાણવા માગતા હતા કે શું રિલાયન્સ ભારતમાં ટિકટોકનો બિઝનેસ ખરીદવા માટે રસ ધરાવે છે કે નહીં. અને આ બેઠક બાદ રિલાયન્સ અને જિયો દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે કે, શું ટિકટોકને ખરીદવું યોગ્ય રહેશે કે નહીં. એક અધિકારીએ જણાવ્યું કે, રિલાયન્સ અને ટિકટોકનાં અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં છે.

માર્કેટમાં રિલાયન્સ ટિકટોકને ખરીદશે તે ચર્ચાએ જાેર પકડ્યું છે. પણ રિલાયન્સ દ્વારા તેને અફવા ઘોષિત કરવામાં આવી છે અને આ મામલે કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી. રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું કે, કંપની હંમેશા સેબીના નિયમો હેઠળ અને સ્ટોક એક્સચેન્જના એગ્રિમેન્ટ હેઠળ સૂચનાઓ આપી છે.

ટિકટોકે પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે માઈક્રોસોફ્ટે પણ કોઈ જવાબ આપ્યો નથી. પણ સુત્રોનું માનીએ તો હાલ રિલાયન્સ અને ટિકટોક વચ્ચેની ડીલ પ્રાથમિક તબક્કામાં છે અને આ ડીલ થશે કે નહીં તે અંગે પણ અનેક સવાલો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution