દિલ્હી-
ખરેખર, ધોરણ-12ના વિદ્યાર્થીએ આ અરજીમાં શાળા ખોલવાની માંગ કરી હતી. કોર્ટે અરજદારના વકીલને પૂછ્યુ કે શું હાલમાં જે સ્થિતિ કેરળ અને મહારાષ્ટ્રમાં છે તેમાં શાળા ખોલી શકાય? જે પણ રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે એ રાજ્યમાં સરકાર શાળાઓ ખોલી રહી છે. દિલ્હીમાં પણ શાળા ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોર્ટે કહ્યું કે શાળા ખોલવા માટે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે.
શાળાઓ બંધ થતાં બાળકોનું માનસ બગડ્યુ
અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે કોરોનાના કારણે ગયા વર્ષે માર્ચ-એપ્રિલથી શાળાઓ બંધ છે, જેના કારણે બાળકોને મનોવૈજ્ઞાનિક અસર પડી છે. એવા ઘણા બાળકો છે, જે તણાવનો શિકાર બન્યાં છે. જેથી શાળાઓને તાત્કાલિક ખોલવી જોઈએ.
ઓનલાઈન શિક્ષણથી બાળકોનો સર્વાંગી વિકાસ અશક્ય
અરજદાર અમર મુજબ, ભલે શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ આ પદ્ધતિથી સારું શિક્ષણ મેળવી શકતા નથી. ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસ શક્ય નથી. અરજદાર અમરે રાજ્યોમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોઇને શાળાઓ ખોલવાના નિર્ણયની માંગ પોતાની અરજીમાં મુકી હતી. અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે શાળાઓ ના ખોલવાથી બાળકો પર મનોવૈજ્ઞાનિક અને શારિરીક બંને રીતે ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments