શ્રીનગર-
જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓએ પીડીપી નેતાના ઘર પર હુમલો કર્યો છે. આ હુમલામાં તેમના PA ( અંગત સુરક્ષા કર્મી) ઘાયલ થયા છે. આ હુમલા બાદ વિસ્તારમાં તપાસ અભિયન શરૂ કરવામાં આવ્યું છે. મધ્ય કાશ્મીરના શ્રી-નગર જીલ્લાના નાટીપોરા વિસ્તારમાં સોમવાર સવારે આંતકીઓએ પીડીપી નેતા હાજી પરવેઝ અહેમદના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અંગત સુરક્ષા ગાર્ડ મંઝૂર અહેમદ ઘાયલ થયા હતા.
આંતકી હુમલામાં ગંભીર રૂપે ઘાયલ સુરક્ષા કર્મીને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટના વચ્ચે આંતકીઓને ઝડપવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે, અને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.પીડીપી નેતા પરવેઝે આ મામલે જણાવ્યું કે મારા બાળકો, વૃદ્ધ માતા અને અન્ય પરિવાર વાળા ઘરમાં હાજર હતા. ત્યારે સવારે ફિરન પહેરીને બે શખ્સ મુખ્ય દરવાજાથી દાખલ થયા અને ફાયરીંગ કરી હતી. આ ઘટનામાં મારો એક અંગ રક્ષક ઘાયલ થયો છે. સારવાર દરમ્યાન અહમેદનું મોત નિપજ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments