દિલ્હી-
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021 માં કોરોના રોગચાળાના સંકટને કારણે રાજકોષીય ખાધ જીડીપીના 9.5 ટકા રહેશે. સરકાર માટે આ બહુ ચિંતાનો વિષય છે. નાણાં પ્રધાન સીતારામને કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 માં રાજકોષીય ખાધ 6.8 ટકા હોઇ શકે, પરંતુ સરકાર નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં તેને જીડીપીના 4.5 ટકા પર લાવવાનો પ્રયાસ કરશે.
સીતારમણે કહ્યું કે સરકારે નાણાકીય શિસ્તને પગલે માર્ચ 2021 માં નાણાકીય ખાધને જીડીપીના 3 ટકા સુધી મર્યાદિત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, પરંતુ રોગચાળા પછી અનપેક્ષિત આંચકાને કારણે સરકારે ખર્ચમાં વધારો કર્યો હતો. આશરે 27 લાખ કરોડ રૂપિયાના સ્વનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય ખાધમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકાર એફઆરબીએમ એક્ટમાં ફેરફાર કરશે.
નાણાકીય વર્ષ 2022 માં સરકારે બજારમાંથી આશરે 12 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો અંદાજ લગાવ્યો છે. નાણાકીય ખાધમાં વધારાને કારણે ભારતના રેટિંગ પર વિપરિત અસર પડી શકે છે અને વિદેશી દેવું લેવું મોંઘુ થઈ શકે છે. નાણાકીય વર્ષ 2022 માં મૂડી ખર્ચ 5.54 લાખ કરોડ થવાનો અંદાજ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments