કોરોના સમયગાળામાં સરકારની ખોટ રેકોર્ડ સ્તરે ,GDP 9.5 ટકા રહેશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ફેબ્રુઆરી 2021  |   1287

દિલ્હી-

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021 માં કોરોના રોગચાળાના સંકટને કારણે રાજકોષીય ખાધ જીડીપીના 9.5 ટકા રહેશે. સરકાર માટે આ બહુ ચિંતાનો વિષય છે. નાણાં પ્રધાન સીતારામને કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 માં રાજકોષીય ખાધ 6.8 ટકા હોઇ શકે, પરંતુ સરકાર નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં તેને જીડીપીના 4.5 ટકા પર લાવવાનો પ્રયાસ કરશે.

સીતારમણે કહ્યું કે સરકારે નાણાકીય શિસ્તને પગલે માર્ચ 2021 માં નાણાકીય ખાધને જીડીપીના 3 ટકા સુધી મર્યાદિત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, પરંતુ રોગચાળા પછી અનપેક્ષિત આંચકાને કારણે સરકારે ખર્ચમાં વધારો કર્યો હતો. આશરે 27 લાખ કરોડ રૂપિયાના સ્વનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય ખાધમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકાર એફઆરબીએમ એક્ટમાં ફેરફાર કરશે.

નાણાકીય વર્ષ 2022 માં સરકારે બજારમાંથી આશરે 12 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો અંદાજ લગાવ્યો છે. નાણાકીય ખાધમાં વધારાને કારણે ભારતના રેટિંગ પર વિપરિત અસર પડી શકે છે અને વિદેશી દેવું લેવું મોંઘુ થઈ શકે છે. નાણાકીય વર્ષ 2022 માં મૂડી ખર્ચ 5.54 લાખ કરોડ થવાનો અંદાજ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution