ભારતમાં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા માં ઘટાડો, છેલ્લા 24 કલાક માં નવા 2,11,298 કેસ નોંધાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, મે 2021  |   3168

 દિલ્હી-

પાછળ ના દિવસની તુલનામાં દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 2,11,298 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ રોગને કારણે 3847 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 2,83,135 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ગુરુવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોના ના કુલ 2,73,69,093 કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગથી અત્યાર સુધીમાં 3,15,235 લોકો મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 24,19,907 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 2,43,33,951 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, જે રાહત છે. છેલ્લા 24 કલાકમાં દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 88.91 % થયો છે. આઈસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં 21 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 26 મેના રોજ 21,57,857 પરીક્ષણો કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 33,69,69, 352 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution