કોરોનાના 92 ટકા દર્દીઓમાં ફરીથી સંક્રમિત થવાનું જોખમ ઓછું: અભ્યાસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2020  |   1683

ન્યૂયોર્ક:

કોરોનાના હાહાકાર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે જે મુજબ એક સંશોધનમાં ખુલાસો કરાયો છે કે, કોરોનાના 92 ટકા દર્દીઓમાં ફરીથી સંક્રમિત થવાનું જોખમ ખૂબ જ ઓછું છે. ન્યુયોર્ક સ્થિત માઉન્ટ સિનાઈ આરોગ્ય સિસ્ટમ દ્વારા તાજેતરના અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું છે કે, કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં સાર્સકોવ-૨ વાયરસ સામે લડતા એન્ટિબોડીઝ ઉત્તપન્ન થાય છે. આ એન્ટિબોડીઝ ઓછામાં ઓછા 90 દિવસ સુધી શરીરમાં ફરીથી સંક્રમણ અટકાવે છે. 

અભ્યાસ દરમિયાન, સંશોધનકારોએ કોરોનાગ્રસ્ત 19,700 દર્દીના લોહીના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું. તેઓએ શોધી કાઢ્યું કે ચેપગ્રસ્ત લોકોમાંથી 92 ટકા તેમના શરીરમાં સામાન્યથી ઉચ્ચ સ્તરની આઇજીજી એન્ટિબોડીઝ ધરાવે છે, જે સાર્સકોવ -2 વાયરસના સ્પાઇક પ્રોટીનને જોડે છે અને તેના ફાયરપાવરને કાઢી નાખે છે. સ્પાઇક પ્રોટીન વાયરસને કોષોમાં હાજર ACE-2 રીસેપ્ટરને ઓળખવામાં અને ચેપ લાવવામાં મદદ કરે છે. સંશોધનકારોએ એમ પણ નિરીક્ષણ કર્યું છે કે, એન્ટિબોડીઝની ઓછી માત્રા હોય તો સંક્રમિત લોકોમાં 50 ટકા વાયરસને નિષ્ક્રિય કરવાની ક્ષમતા હતી. જ્યારે મધ્યમ અથવા ઉચ્ચ સ્તરના એન્ટિબોડીઝથી સંક્રમિત લોકોમાંના 90 ટકા લોકો સંક્રમણને ફરીથી થતું અટકાવવા સક્ષમ હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution