પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું, જે સ્થળે ગધેડા ચરતાં હતાં ત્યા આજે સીપ્લેન ઉતરે છે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ફેબ્રુઆરી 2021  |   990

અમદાવાદ-

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી જાહેર સભામાં ભાજપના સ્ટાર પ્રચારક પુરૂષોત્તમ રૂપાલાએ કોંગ્રેસને ચાબખા માર્યા હતા. તેમણે કહ્યુંં કે, જે સાબરમતીમાં જ્યાં એક સમયે ગધેડા ચરતાં અને સરકસના તંબુઓ બંધાતા હતા તે સાબરમતીમાં બે કાંઠે પાણી છે અને આજે તેમાં પ્લેન ઉતરે છે. તેમણે જાહેર સભામાં વધુમાં એવું જણાવ્યું હતુંકે, અમદાવાદમાં હવે ફાટક વગરનું શહેર બનવા જઇ રહ્યું છે. કોગ્રેસના શાસનમાં જ્યાં માત્ર આશ્રમ રોડ થઇને જ ગાંધીનગર જઇ શકાતું સીજી રોડ, એસજી હાઇવે અમદાવાદની મધ્યમાં છે. રિંગરોડ પર વિકાસ જાેવા મળે છે.

તેમણે બાપુનગરની સભામાં કહ્યું કે, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરનારા આપણા સૈનિકોની વીરતાના પુરાવા માગનારાને જવાબ આપવાનો સમય આવી ગયો છે. મ્યુનિ.ની ચૂંટણીમાં ટિકિટ કપાતા રીસાયેલા ઉમેદવારોએ ચૂંટણી સમયે જ પ્રચાર કરવાનું બંધ કરી દેતા પ્રદેશ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. પ્રદેશ પ્રમુખ,વિધાનસભા વિરોધ પક્ષના નેતા, સિનિયર નેતાઓએ ટિકિટ કપાતા કે પછી તેમના ટેકેદારને ટિકિટ ન મળતા મનદુઃખથી રીસાયેલા દાવેદારો અને નેતાઓને સોમવારથી મનાવવું ચાલું કર્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશ કાર્યાલય અને બહાર અન્ય સ્થળો પર એક પછી એક નેતાઓને બોલાવવાનું ચાલુ કર્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં મેન્ડેટ ન પહોંચાડવાને કારણે જ ભાજપને ૨૬ જેટલી બેઠક મળી ગઇ હતી.આવી સ્થિતિ ઉભી થવા પાછળ કોઈ કાવતરું તો નથી તેની તપાસ કરી પગલાં લેવાશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution