ભીંડા એક એવી શાકભાજી છે જે દરેક ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેને એક રીતે રાંધવા અને તેને ખાવાનું એટલું કંટાળાજનક હોઈ શકે છે કે તમે આ શાકભાજી ખાવાનું બંધ કરી શકો છો. તેનાથી બચવા માટે, ભીંડા બનાવવાની નવી રેસીપી તમારા માટે ઉપયોગી થશે. જેમાં નાળિયેરનો સ્વાદ ઉમેરીને ભીંડાને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

ભીંડા નાળિયેર મસાલાની સામગ્રી:

250 ગ્રામ સમારેલા ભીંડા,2 ટામેટાં,1 મોટી ડુંગળી,લસણની 5 કડીઓ ,એક ઇંચ છાલવાળી આદુ,અડધો કપ તાજો નાળિયેર,છીણેલું નાળિયેરનો અડધો કપ\,2 ચમચી મીઠું,એક ચમચી જીરું,અડધી ચમચી લાલ મરચું,અડધી ચમચી હળદર,2 ચમચી તેલ.

ભીંડા નાળિયેર મસાલા કેવી રીતે બનાવવા:

ડુંગળી, ટમેટા, આદુ, લસણ અને અડધો કપ નારિયેળને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો. ત્યાર બાદ તેને એક બાઉલમાં બહાર કાઢો.

એક પૈનમાં તેલ નાખો અને ગરમ થાય ત્યારે તેમાં જીરું નાખો. આ પછી બીજા મસાલા પેનમાં નાખી તેને સાંતળી અને તેમાં મીઠું નાખો.

મસાલાનો રંગ બ્રાઉન થઈ જાય એટલે તેમાં ભીંડા નાખો અને મિક્સ કર્યા બાદ તેને પ્લેટથી ઢાંકી દો.

શાક સીઝાવા દો, તે દરમિયાન તેને ચમચા વડે હલાવ્યા કરવું જેથી ભીંડા બળી ન જાય. 10 મિનિટ પછી, તેમાં છીણેલું નાળિયેર નાખો અને ત્યારબાદ તેને વધુ પાંચ મિનિટ સુધી સીઝાવા દો.

શાકભાજીમાં ધાણા નાંખ સર્વ કરો, અથવા તેને ગરમ ગરમ પીરસી લો.