લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, મે 2026 |
4257
ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર સિસ્ટમ બંધ કરવાનો અને પહેલાથી ઇન્સ્ટોલ કરેલા ઉપકરણોને તાત્કાલિક અસરથી પોસ્ટપેઇડમાં રૂપાંતરિત કરવાનો ર્નિણય લીધો છે, એમ ઉર્જા મંત્રી એકે શર્માએ શુક્રવારે જણાવ્યું હતું.
રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ સ્થાપિત સ્માર્ટ પ્રીપેડ મીટર સાથે જાેડાયેલા કથિત વધારાના બિલિંગ અને અનિયમિતતાઓને લઈને ઘણા જિલ્લાઓમાં વધી રહેલા વિરોધ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.એક સત્તાવાર નિવેદન અનુસાર, ગ્રાહકોની સુવિધા અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે.નવી વ્યવસ્થા હેઠળ, ગ્રાહકોને વપરાશ પછી વીજળીના બિલ પ્રાપ્ત થશે, જેમાં મે ૨૦૨૬ માં વપરાયેલી વીજળીના બિલ પોસ્ટપેઇડ સિસ્ટમ હેઠળ જૂનમાં જારી કરવામાં આવશે.
શર્માએ જણાવ્યું હતું કે પૂર્વાંચલ, મધ્યાંચલ, દક્ષિણાંચલ અને પશ્ચિમાંચલ વીજ વિતરણ નિગમો તેમજ કાનપુરમાં માં નવી સિસ્ટમના અમલીકરણ માટે ઔપચારિક આદેશો જારી કરવામાં આવ્યા છે.“વીજ ગ્રાહકોની સુવિધાને પ્રાથમિકતા આપતા, ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કાર્યરત સ્માર્ટ પ્રીપેડ મીટર સિસ્ટમ બંધ કરવાનો અને તમામ સ્માર્ટ મીટરને પોસ્ટપેઇડ મોડમાં ખસેડવાનો ર્નિણય લીધો છે,” મંત્રીએ જણાવ્યું હતું.