અમેરિકાના કલાયમેટ બાબતોના રાજદૂત જોન કેરી ભારત આવશે
08, સપ્ટેમ્બર 2021 693   |  

 દિલ્હી-

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે તે મુદે હવે ભારત સાથે ચર્ચા કરવા માટે અમેરિકાના કલાયમેટ બાબતોના ખાસ રાજદૂત જોન કેરી આવતા અઠવાડીયે ભારત આવી રહ્યા છે અને તેઓ નવે.માં યોજાનારી ગ્લાસગો આંતરરાષ્ટ્રીય સમીટ પુર્વે ભારત સાથે આ મુદે ચર્ચા કરશે. જો કે અમેરિકી સરકારે આ મુલાકાત અંગે કોઈ સતાવાર જાહેરાત કરી નથી પરંતુ છ માસમાં કેરીની આ બીજી દિલ્હી મુલાકાત છે તેઓને અગાઉની સરકારમાં જ અમેરિકાના કલાયમેટ એન્વોય એટલે કે વાતાવરણ સંબંધી રાજદૂત તરીકે નિયુક્ત કરાયા હતા. તેઓ જાપાન પણ જવાના છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાનો મુખ્ય ઉદેશ ગ્રીન ટેકનોલોજીનો વપરાશ વધે તે જોવાનો છે અને ભારતે અગાઉ જ આ મુદે પોતાના વ્યુહરચના નિશ્ર્ચિત કરી લીધી છે. હાલમાં જ જોન કેરીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ સાથે ટેલીફોન વાતચીત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution