દિલ્હી-

ભારતના આંતરિક મામલાઓમાં દખલગીરી કરવા બદલ જવાબ મળશે. રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું.
હકિકતમાં ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં ગત દિવસોમાં એક ભારતીય વિદ્યાર્થીનીને વિરોધના કારણે રાજીનામું આપવું પડ્યુ હતુ. હવે યુનાઈડેટ કિંગડમમાં નસ્લભેદ સાથે જાેડાયેલા આ મામલાનો પડઘો સોમવારે દેશની સાંસદમાં પડ્યો છે. સંસદમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે આ મામલે જવાબ આપતા કહ્યું કે, મામલામાં જીણવટ ભરી નજર રાખી છે. તેવાાં જરુર પડવા પર સરકાર સામે તેને ઉઠાવવામાં આવશે.

રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું. આપણે મહાત્મા ગાંધીના દેશના લોકો છીએ. આપણે નસ્લવાદના મુદ્દા પર મોઢુ ન ફેરવી શકીએ. એ પણ ત્યાં જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. યુકે સાથે આપણે સંબંધો સારા છે. જાે કોઈ મામલો સામે આવે છે. તો અમે તેને તેમની સામે ચોક્કસ રાખીશું. ઉલ્લેખનીય છે કે ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં ગત દિવસોમાં રશ્મિ સામંત સ્ટૂડન્ટ યુનિયનની પ્રેસિડન્ટ તરીકે પસંદગી પામી હતી. પણ કેટલીક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ તેના પર નિશાન સાધવામાં આવ્યા અને તેના શપથ ગ્રહણ પહેલા તેને રાજીનામુ આપવું પડ્યુ. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને યુકેની વચ્ચે રાજનીતિક રીતે વાદ વિવાદ વધ્યો છે. કૃષિ મામલામાં ગત દિવસોમાં બ્રિટનની સાંસદમાં ચર્ચા થઈ હતી. જે બાદ ભારત તરફથી સ્પષ્ટ કહેવાયુ હતુ કે કૃષિ કાયદોએ અમારો આંતરીક મામલો છે. જેમાં કોઈ બહારના દખલ ન દે.