વલસાડ,  બીજી ફેબ્રુઆરીથી શરૂ કરેલી સુરત વલસાડ સુરત મેમુ પાસધારકો વગરની અને કસમયની ટ્રેન છે જે આંશિક સફળ થઇ છે તે વલસાડ ખાતે ચાર કલાક અને સુરત ખાતે સળંગ ૧૫ કલાકથી વધુ ફાજલ પડી રહેતી હોય તા. ૯/૨ થી સુરતના બદલે વડોદરાથી ઉપાડી ભરૂચ સુરત વલસાડ વાપી થઈ ઉમરગામ સુધી દોડાવશે અને પરત ફરશે જેમાં બાર કોચની એક જ રૅક છે પરંતુ પશ્ચિમ રેલવે (૧)વડોદરા સુરત-૦૯૧૫૬/૦૫-૫૦ ક.ઉપાડી ૦૯-૧૫ એ સુરત (૨)સુરત વલસાડ-૦૯૧૫૨/૦૯-૨૦ ઉપાડી વલસાડ-૧૧-૦૫એ અને(૩) વલસાડ ઉમરગામ-૦૯૧૫૪//૧૧-૧૦ ઉપાડી ઉ’ગામ-૧૩-૦૦ પહોંચશે જે પરત ઉ’ગામથી ૧૪-૧૦, વલસાડથી ૧૫-૩૫ અને સુરતથી ૧૭-૩૮ ક.ઉપડી વડોદરા ૨૧-૨૦ ક.પહોચશે. એમ ત્રણ ત્રણ નંબર ફાળવીને શૌચાલયની સુવિધાવિહીન સળંગ આઠેક કલાક સુધી પ્રવાસ કરાવતી મેમુ શરૂ કરે છે, જેમાં પણ મુસાફરોએ પ્રવાસ કરવો હોય તો ઓનલાઇન બુકિંગ ફરજિયાત છે જેથી મેમુનુ લઘુત્તમ ભાડું નવસારી કે વાપી સુધી વલસાડ થી માત્ર રૂ ૧૦/- છે પરંતુ ઓનલાઇન બુકિંગ ચાર્જના દોઢા એટલે કે પંદર રૂપિયા મળી રૂ.૨૫/- ફરજિયાત ખર્ચવા પડે છે. વિન્ડો કરંટ બુકિંગ મેમુ ઉપડવાના સમયથી ૪૦ મિ. પહેલા બંધ થઈ જાય છે જેના લીધે પણ ૧૦-૧૫ મિનિટ પહેલા આવેલા મુસાફરો ટિકિટ નહીં મળવાથી પ્રવાસ કરી શકતા નથી. ટ્રેનમાં બેસી જાય તો વગર ટિકિટના હોય ભારે દંડ થાય છે. અને પાસધારકોને છૂટ આપી ન હોય,હવે ત્રણે ભાગમાં મુસાફરોનો સાનુકૂળ પ્રતિભાવ મળશે નહીં અને નીતિનિયમ વિરૂદ્ધ સુવિધા વિહીન મેમુને સળંગ ૨૫૧ કિલોમીટર સુધી દોડાવી ગેરબંધારણીય પ્રવાસ કરાવશે. 

જેથી મેમુ ઉપડવાની દસ મિનિટ પહેલાં સુધી છૂટક ટિકિટનું વેચાણ થવું જાેઈએ, તો જ ગરીબ મુસાફરોને વધુ ફાયદો થશે, રૂ.૧૫/-ની બચત થશે,રેલ પ્રવાસીઓનો વધારો થશે અને ધોરીમાર્ગ અવરજવરમાં રાહત થશે. બાંદ્રા સુરત બંધ ઇન્ટરસિટીને સ્પેશિયલ ટ્રેન તરીકે ગઈ ૨૩મી જાન્યુઆરીએ શરૂ કરી હતી જેની એક જ રૅક પણ ઠેઠ જામનગર સુધી સુરતમાં ટ્રેન નંબર બદલીને જાય છે તો બંધ જામનગર સુરત ઈન્ટરસીટી પણ રેલવે તંત્ર જલ્દી શરુ કરે તેવી માંગ છે.