/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

 જાણો,કેવા પ્રકારનું શિવલિંગ ઘરમાં પૂજા માટે રાખવું જોઈએ ?

નેગેટિવિટી દૂર કરવા માટે ઘરમાં મંદિર બનાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. મંદિરમાં રોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવો જોઇએ. ઉજ્જૈનના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને જ્યોતિર્વિગ પં. સુનીલ નાગર પ્રમાણે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખતી સમયે થોડી વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

ઘરમાં વધારે મોટું શિવલિંગ રાખવાથી બચવું જોઇએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. નાના શિવલિંગની પૂજાથી પણ અક્ષય પુણ્ય મળે છે. વધારે મોટું શિવલિંગ રાખવાથી તેની વધું પડતી ઊર્જા ઘર ઉપર ખરાબ અસર કરી શકે છે. એટલે, ઘરમાં આપણાં અંગૂઠાના પહેલાં ભાગથી વધારે મોટું શિવલિંગ રાખવું નહીં. ઘરમાં શિવલિંગ રાખ્યું હોય તો રોજ તાંબાના લોટાથી જળ જરૂર ચઢાવવું જોઇએ.

ઘરના મંદિરમાં ગણેશજીની એકથી વધારે મૂર્તિઓ રાખવા માંગો છો તો ધ્યાન રાખો કે, મંદિરમાં ગણેશજીની મૂર્તિઓની સંખ્યા વિષમ એટલે 1, 3, 5 હોવી જોઇએ નહીં. ગણેશજીની મૂર્તિઓની સંખ્યા સમ એટલે 2, 4, 6 હોવી જોઇએ.

ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજામાં શંખનો ઉપયોગ વિશેષ રૂપથી થાય છે, પરંતુ શિવજીની પૂજામાં શંખ રાખવો જોઇએ નહીં. ઘરના મંદિરમાં એક જ શંખ રાખો. એકથી વધારે શંખ મંદિરમાં રાખવા શુભ માનવામાં આવતાં નથી. આ વાતનું પણ ધ્યાન રાખો કે, શંખથી શિવલિંગ ઉપર જળ ચઢાવવું નહીં.

મંદિરમાં ક્યારેય ખંડિત અને તૂટેલી મૂર્તિઓ રાખવી નહીં. ખંડિત મૂર્તિની પૂજા કરવાથી એકાગ્રતા જળવાતી નથી અને પૂજાનું પૂર્ણ ફળ મળી શકતું નથી. શિવલિંગને નિરાકાર માનવામાં આવે છે, આ કારણે ખંડિત શિવલિંગ પણ પૂજનીય છે. અન્ય દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ પૂજા માટે શુભ માનવામાં આવતી નથી. પૂજા કરતી સમયે દીવો પ્રગટતો રહેવો જોઇએ. જો દીવો ઓલવાઇ જાય તો તેને ફરી પ્રગટાવવો જોઇએ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution