India માં સૌથી મોટું દાન કોણ આપે છે? જવાબ સાંભળીને ચોંકી જશો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ફેબ્રુઆરી 2026  |   3861

સામાન્ય રીતે ભારતમાં પરોપકારની વાત કરવામાં આવે તો તેની વાત એ કહેવાતા મોટા લોકોના દાનથી જ શરૂ થતી હોય છે.

તેમાં કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)નું બજેટ, અબજોપતિઓનાં વચનો, અને મોટાં-મોટાં ફાઉન્ડેશન સામેલ હોય છે, પરંતુ એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં ઉદારતા, પરોપકારનું અસલ એન્જિન તો ઘણું સાધારણ છે અને વ્યાપક પણ છે.

અશોકા યુનિવર્સિટીના સેન્ટર ફૉર સોશિયલ ઇમ્પેક્ટ ઍન્ડ ફિલાન્થ્રોફી (સીએસઆઇપી)એ 'હાઉ ઇન્ડિયા ગિવ્સ 2025' રિપોર્ટ બનાવ્યો છે.

આ રિપોર્ટ એ પરંપરાગત ધારણાને પડકારે છે કે સંગઠિત અને સંસ્થાગત ધન જ ઉદારતા અને પરોપકારની હોડી હંકારે છે, પરંતુ હકીકતમાં આ હોડીને હંકારનાર વિશાળ શક્તિ છે, સામાન્ય લોકો અને સામાન્ય ઘર-પરિવાર.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution