India માં સૌથી મોટું દાન કોણ આપે છે? જવાબ સાંભળીને ચોંકી જશો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ફેબ્રુઆરી 2026 | 3861
સામાન્ય રીતે ભારતમાં પરોપકારની વાત કરવામાં આવે તો તેની વાત એ કહેવાતા મોટા લોકોના દાનથી જ શરૂ થતી હોય છે.
તેમાં કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)નું બજેટ, અબજોપતિઓનાં વચનો, અને મોટાં-મોટાં ફાઉન્ડેશન સામેલ હોય છે, પરંતુ એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં ઉદારતા, પરોપકારનું અસલ એન્જિન તો ઘણું સાધારણ છે અને વ્યાપક પણ છે.
આ રિપોર્ટ એ પરંપરાગત ધારણાને પડકારે છે કે સંગઠિત અને સંસ્થાગત ધન જ ઉદારતા અને પરોપકારની હોડી હંકારે છે, પરંતુ હકીકતમાં આ હોડીને હંકારનાર વિશાળ શક્તિ છે, સામાન્ય લોકો અને સામાન્ય ઘર-પરિવાર.