દિલ્હી-
અફઘાનિસ્તાનથી સુરક્ષિત કાઢીને ભારત લવાયેલા ઓછામાં ઓછા 16 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. ભારત સરકાર સાથે લોકોને બહાર કાઢવામાં જોડાયેલા લોકોએ મંગળવારે આ જાણકારી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક કાર્યાલય જ્ઞાપન મુજબ અફઘાનિસ્તાનથી લાવવામાં આવેલા લોકો માટે અહીં ભારત આઈટીબીપીના છાવલા સ્થિત છાવણીમાં ન્યૂનતમ 14 દિવસના ઈન્સ્ટિટ્યૂશન ક્વોરેન્ટાઈનને ફરજિયાત કરવામાં આવ્યું છે. કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખી મંત્રાલયે આ પગલું ભર્યુ છે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનથી આવેલા કોઈ પણ વ્યક્તિમાં કોરોનાની પુષ્ટિ થવા અને તેમાં બિમારીના લક્ષણ દેખાયા બાદ તેને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. અફઘાનિસ્તાનથી લોકોને કાઢવામાં સહયોગ આપનારા ઉદ્યોગપતિ કણ્વ ભલ્લાએ કહ્યું કે દુશાંબેના રસ્તે કાબૂલથી પહોંચેલા તમામ 78 લોકોના આઈજીબીઆઈ હવાઈ મથક પર કોરોના પરિક્ષણ કરાયું અને તેમાથી લગભગ 16 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments