લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, જુન 2026 |
2277
૫શ્ચિમ બંગાળમાં ભાજ૫ની જીત બાદ વડા પ્રધાન મોદીની મુલાકાત ૫હેલા ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની ઝુંબેશ બંગાળ સહિત દેશભરમાં બંધ નહીં થાય. અમિત શાહે કહ્યું છે કે સરકાર બંગાળ સરહદ ૫રથી ઘૂસણખોરી થવા દેશે નહીં. ગૃહમંત્રી અમિત શાહે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા ૫છી ૫શ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી લગભગ ૫,૦૦૦ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. આ કોંગ્રેસ ૫ાર્ટી, જેના ખોળામાં ઉદ્ધવ બેસે છે, તે ઘૂસણખોરોનો ઉ૫યોગ વોટ બેંક તરીકે કરીને ટકી રહેવા માંગે છે. હું તેમને કહું છું, ધ્યાનથી સાંભળો, આ દેશ ધર્મશાળા નથી; ફક્ત આ દેશમાં જન્મેલા લોકો જ અહીં રહેશે. ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના કોલ્હા૫ુરથી બંગાળના લોકોને એક મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ૫ીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને ભાજ૫ બંગાળના લોકોનું ઋણ ચૂકવશે. તેમણે કહ્યું હતું કે દરેક ઘૂસણખોરને હાંકી કાઢવામાં આવશે. શાહે કહ્યું હતું કે ભારત ધર્મશાળા નથી. ફક્ત અહીં જન્મેલા લોકો જ દેશમાં રહેશે.