ગોવા

ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 15 કોરોના દર્દીઓનું મોત નીપજ્યું હતું. રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટમાં આ માહિતી આપી હતી. બે દિવસ પહેલા અહીં કોરોના બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટની ગોવા બેંચને કહેવામાં આવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓનું મોત હોસ્પિટલમાં ઓક્સિજનના દબાણને કારણે થયું છે. 

કોર્ટે ગોવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રને ટૂંક સમયમાં ક્વોટા મુજબ ઓક્સિજન સપ્લાય કરવા જણાવ્યું છે.જો કે ન્યાયાધીશ નીતિન ડબલ્યુ. સાબર અને એમએસ સોનકે જણાવ્યું હતું કે 12 મેના આદેશ હોવા છતાં ગુરુવારે 40 જેટલા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાંના 15 લોકો સવારે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે મૃત્યુ પામ્યા હતા.