કુપવાડા જીલ્લા ના એક બસ સ્ટેન્ડ પાસેથી ગ્રેનેડ મળી આવ્યુ, હુમલો થયા ની આશંકા
05, માર્ચ 2021

દિલ્હી-

શુક્રવારે સવારે કુપવાડા જિલ્લા અંતર્ગત બસ સ્ટેન્ડ પાસેથી ગ્રેનેડ મળી આવ્યુ હતુ. માનવામાં આવે છે કે, આ ગ્રેનેડ ને આતંકીઓએ સુરક્ષા દળો ને નિશાન બનાવી ને ફેંક્યુ હશે, જે ફૂટ્યુ ન હતુ. કુપવાડાના એસએસપી શ્રીરામ અંબકારે જણાવ્યુ હતુ કે,' આજે સવારે બસ સ્ટેન્ડ નજીક એક કાટવાળો ગ્રેનેડ મળી આવ્યુ હતુ.' તેમણે કહ્યુ કે, 'ફૂટેજ દ્વારા તપાસ કરવામાં આવશે કે, હુમલો થયો હતો કે નહિ.' એસએસપીએ જણાવ્યુ હતુ કે,' પોલીસની ટીમ ત્યાં નિયમિત તૈનાત રહે છે.' તેમણે કહ્યુ કે, 'ગ્રેનેડ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બોલાવવામાં આવી હતી.' તેમણે જણાવ્યુ હતુ કે, 'ગ્રેનેડ ને કોઈ પણ નુકસાન વિના સ્થળ પરથી કબજે કરવામાં આવ્યુ હતુ.'

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution