23, જુલાઈ 2024
નવીદિલ્હી |
દેશભરના લોકો મોંઘાવારીનો સામનો કરી રહ્યાં ત્યારે અમીર વધુ અમીર બનતા જાય છે. બીજી તરફ, રીઅલ એસ્ટેટ કંસાલ્ટન્ટ સીબીઆરાઈની રિપોર્ટ પ્રણાણે, દેશના અમીરો મોટાપાયે પ્રોપર્ટીની ખરીદી રહ્યાં છે. જેમાં જાન્યુઆરીથી લઈને જૂન સુધીમાં દેશના સાત મુખ્ય શહેરોમાં ચાર કરોડથી વધુ કિંમતના બંગ્લોઝના વેચાણમાં વાર્ષિક ૨૭ ટકા જેટલો વધારો જાેવા મળ્યો છે.
છેલ્લા છ મહિનાના સમયગાળામાં દેશના મુખ્ય ગણાતા એવા સાત શહેરોમાં ૮૫૦૦ જેટલાં બંગ્લોઝનું વેચાણ થયું છે. જેમાં જાન્યુઆરીથી જૂન મહિનામાં દિલ્હી-એનસીઆરમાં ૩૩૦૦ જેટલા બંગ્લોઝનું વેચાણ કરવામાં આવ્યું છે. જેમાં એક વર્ષની અંદરમાં ૧૪ ટકા વધારો જાેવા મળ્યો છે. જ્યારે મુંબઈમાં ૧૪ ટકા વેચાણમાં વધારો થતાં ૨૫૦૦ બંગ્લોઝનું વેચાણ થયું છે. આ ઉપરાંત, હૈદરાબાદમાં ૪૪ ટકા વેચાણમાં વધારો થતાં ૧૩૦૦ બંગ્લોઝ વેચાયા છે. જ્યારે ચેન્નઈ અને કોલકાતામાં અનુક્રમે ૧૦૦ અને ૨૦૦ બંગ્લોઝ અને પૂણેમાં ૪૫૦ ટકા વધારા સાથે ૧૧૦૦ બંગ્લોઝનું વેચાણ થયું છે.રીઅલ એસ્ટેટમાં જાન્યુઆરી અને માર્ચમાં કરવામાં આવેલા મકાનોની ડીલ કરતા આઠ ગણા એપ્રિલથી જૂન, ૨૦૨૪ દરમિયાન કુલ ૧.૫૬ અરબ ડોલર કિંમતની ૧૯ ડીલ કરવામાં આવી છે. ગ્રાન્ટ થોર્નટનની રિપોર્ટ પ્રમાણે, આ વર્ષના બીજા પડાવમાં ભારતના રીઅલ એસ્ટેટ બજારમાં બહોળા પ્રમાણમાં હલચલ જાેવા મળી છે. છેલ્લા ચાર વર્ષમાં મકાનોના વધતા ભાવના કારણે ટોપ ૩૦ ટિયર-૨ શહેરોમાં મકાનના ભાવમાં ૯૪ ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત ડેટા એનાલિસ્ટ કંપની પ્રોપઇક્વિટી અનુસાર, ૨૦૨૩-૨૪માં પ્રોજેક્ટ્સની સરેરાશ ઓફરની કિંમત કરતા ૨૦૧૯-૨૦ની ટકાવારીમાં ઘણો વધારો થયો છે.'દિલ્હી એનસીઆરમાં બંગ્લોઝની વધતી માંગ એ સાબિત કરે છે કે હવે લોકો પોતાની જીવનશૈલી આગળ વધારવા માટે રોકાણ કરી રહ્યાં છે. અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમારો સમુહ બદલાતા ટ્રેન્ડનો એક ભાગ છે. આ સાથે લગ્ઝરી પ્રોપર્ટીમાં લોકોની વધતી ઈચ્છાથી ભારતની અર્થવ્યવસ્થામાં ઘણી અસર કરે છે.'
'રીઅલ એસ્ટેટના બજારમાં જાેવા મળતી આ વૃદ્ધિ સકારાત્મક સંકેત આપે છે. સુરક્ષા અને સુવિધાજનક જીવન જીવવાની લોકોની ઈચ્છાઓમાં વધારો જાેવા મળતો હોવાથી રીઅલ એસ્ટેટમાં રોકાણ અને વેચાણ કરનારા લોકો પોતાની જીવનશૈલી વધુ સારી રીતે જીવવાની ઈચ્છા રાખે છે.' ગુલશન ગ્રુપના ડાયરેક્ટરે કહ્યું કે, 'દિલ્હી એનસીઆરમાં લગ્ઝરી મકાનોની વધતી માંગ સામે લોકોની જરૂરિયાત અને પ્રાથમિકતામાં ઘણો બદલાવ જાેવા મળી રહ્યો છે.'આમ પ્રભાવી જીવનશૈલીના શોખીન વ્યક્તિ મોટા પ્રમાણ લગ્ઝરી મકાનોની ખરીદી કરી રહ્યાં છે, ત્યારે રીઅલ એસ્ટેટ બજારમાં દેશના સાત મોટા શહેરોમાં બંગ્લોઝના વેચાણમાં બહોળા પ્રમાણમાં વધારો જાેવા મળી રહ્યો છે.