આર્જેન્ટિના
આર્જેન્ટિનાએ મહાન ફૂટબોલર ડિએગો મેરાડોનાના નામ પર રાખવામાં આવેલા મેરેડોના કપનું નામ બદલવાનું નક્કી કર્યું છે. આર્જેન્ટિનાએ આ નિર્ણય મેરેડોનાના અનુગામીઓ તરફથી મળનાર કાનૂની કાર્યવાહીના ડરને કારણે લીધો છે. 1986 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન મેરેડોનાનું નવેમ્બર મહિનામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું અને તેના મૃત્યુ ના અગાઉ ના દિવસે જ મેરેડોના કપ નામ આપવામાં આવ્યું હતું.
જો કે, આર્જેન્ટિનાના ફૂટબોલ અધિકારીઓએ મેરેડોના ના નામ અને તસવીર નો ઉપયોગ માટે ભવિષ્ય માં કોઈપણ જાત ના કાનૂની દાવપેચ થી બચવા માટે ટુર્નામેન્ટ નું મૂળ નામ રાખવાનો નિર્ણય કર્યો છે
વકીલ ના જણવ્યા અનુસાર તસવીર અને નામકરણના અધિકાર એ મેરેડોનાના વારસોની સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ છે.
2021 લીગ કપની શરૂઆત 14 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.
Loading ...