લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2026 |
2673
પરમા એકાદશીના પાવન અવસરે સુરતના જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ઘાટ ખાતે મહિલાઓએ તાપી નદીમાં પવિત્ર સ્નાન કરી ધર્મલાભ મેળવ્યો હતો. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી હતી અને પૂજા-અર્ચના સાથે એકાદશીનું વ્રત તથા ધામિર્ક વિધિઓનું પાલન કર્યું હતું.