/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આણંદ જિલ્લા માટે વર્તમાન કોરોના સંક્રમણ સામે ઉપયોગમાં લઈ શકાશે

આણંદ : આણંદ જિલ્લા માટે વર્તમાન કોરોના સંક્રમણ સામે ઉપયોગમાં લઈ શકાય તેવી અદ્યતન એમ્બ્યુલન્સ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ ફાઉન્ડેશન તરફથી સીએસઆર હેઠળ ભેટ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલને અરવિંદભાઈ પટેલ દ્વારા અર્પણ કરવામાં  આવી હતી. આ એમ્બ્યુલન્સ સાંસદ મિતેશભાઈ પટેલના સરાહનીય પ્રયાસો દ્વારા આણંદ જિલ્લાની જનતા માટે અરવિંદભાઈ પટેલે પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં ભેટ ધરી હતી. કલેક્ટરે જિલ્લા આરોગ્ય વિભાગને સુપરત કરી હતી. કલેકટર આર.જી. ગોહિલે એમ્બ્યુલન્સની બેટ મળતાં આભાર વ્યક્ત કરી કોરોના સંક્રમણ સમયે અદ્યતન સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ ઉપયોગી સાબિત થશે, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, ફાઉન્ડેશનના સંચાલકો અને કરમસદ મેડિકલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી શાંતિલાલ ઉપસ્થિત રહ્યાં હતાં.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution