લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
2970
ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે રવિવારે જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ શરૂ કરી હતી, જ્યાં કોકરોચ જનતા પાર્ટી ૨૦ જૂનથી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે.
વાંગચુકે ઉપવાસ શરૂ કર્યા ત્યારે સેંકડો વિરોધીઓ, જેમાં મોટાભાગે યુવાનો અને વિદ્યાર્થીઓ હતા, જંતર-મંતર પર એકઠા થયા હતા. વિરોધ સ્થળ પર ઘણા ખેડૂત નેતાઓ પણ હાજર હતા. ભૂખ હડતાળ શરૂ કરતા પહેલા, વાંગચુક અને CJPના સ્થાપક અભિજીત દીપકેએ રાજઘાટની મુલાકાત લઇ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. દિપક્કે ભૂતકાળમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સંગઠનોને વિરોધ પ્રદર્શનમાં જાેડાવા અને મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ સહિત પરીક્ષા પ્રણાલીમાં કથિત અનિયમિતતાઓ અંગે જવાબદારીના આહ્વાનને સમર્થન આપવા અપીલ કરી છે. રવિવારે સવારે, તેમણે એકસ પર કહ્યું કે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ઘણા ખેડૂત નેતાઓને જંતર-મંતર પહોંચતા અટકાવવા માટે નજરકેદ કરાઇ રહ્યા છે.