પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ની તબિયત સ્થિર, હજુ પણ વેન્ટીલેટર પર
15, ઓગ્સ્ટ 2020 1287   |  

દિલ્હી-

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની આરોગ્ય બુલેટિનને જારી કરતાં કહ્યું કે,  પ્રણવ મુખરજીની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. તે વેન્ટિલેટરી સપોર્ટ પર રહે છે. તેમના મહત્વપૂર્ણ અંગો અને તબીબી ધોરણો હજી પણ સ્થિર છે. નિષ્ણાતોની એક ટીમ તેના સ્વાસ્થ્ય ઉપર નજર રાખી રહી છે. આ પહેલા શુક્રવારે પ્રણવ મુખરજીની તબિયતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. હોસ્પિટલે કહ્યું હતું કે, મુખર્જી કોમા માં છે. 

84 વર્ષીય પ્રણવ મુખર્જીને, 10 ઓગસ્ટે ગંભીર હાલતમાં સવારે 12 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તપાસ દરમ્યાન, મગજમાં લોહીના ગંઠાઇ જવાનો ઘટસ્ફોટ થયો અને તેની પછી કટોકટીની જીવન બચાવની સર્જરી કરવામાં આવી. સર્જરી બાદ તે વેન્ટિલેટર પર છે અને તેની હાલત ગંભીર છે. તે કોરોના પોઝિટિવ પણ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution