/
ઉનાઈના ખંભાલીયા ગામે આંકડાનો જુગાર રમાડનાર ચાર જણાં ઝડપાયા

વાંસદા. વાંસદા પોલીસ સ્ટેશનના સિનિયર વિરેન્દ્રસિંહ એન વાઘેલા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ખંભાલીયા ગામીત ફળિયામાં આવેલા સુમનભાઈના ઘરના બાજુમાં આવેલ વાળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં એક ઈસમ આવતા જતા માણસો પાસે વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડે છે. નામ ઠામ પૂછતાછ પરછ કરતા આકાશભાઈ નટવરલાલ ચૌધરી .ઉનાઈ. ઉમર વર્ષ .૩૦/ કિશોરભાઈ ગુલાબભાઈ નાયકા  અમ્રતભાઈ દિવાળજીભાઈ ચૌધરી. બામનામાળદૂર.  દિવાળજીભાઈ કેશવજીભાઈ ચૌધરીના ઓની ધરપકડ કરી અને જુગાર રમાંડવાના સાધનો અને અંગત ઝડતીમાં રોકડા રૂ.૧૫,૪૧૦/-અને મોબાઈલ.૨ નંગ કિ.રૂ .૫,૫૦૦ મળી ૨૧,૯૧૦ ના મુદ્દામાલ સાથે ઉપરોકત તમામ આરોપી પકડાઈ ગયેલ હોય જે તમામ આરોપી વિરુદ્ધ વાંસદા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ -૧૨(અ) હેઠળ ગુનો નોંધાયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution