મુંબઇના ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન(રાનીબાગ)માં બીએમસીએ ભારતની પહેલી ફ્રી બર્ડ એવિઅરી સ્થાપિત કરી છે. તે દેશમાં સૌથી મોટુ અને ઉંચુ બર્ડ એવિઅરી છે. હાલમાં દેશ-વિદેશના 100થી વધુ પક્ષીઓ અને જાનવર રાનીબાગમાં લાવવામાં આવ્યા છે. તેમા રીંછ, ચિત્તો ઉપરાંત દેશિ-વિદેશી પક્ષીઓ, કાચબો, અજગર અને નાગ સામેલ છે. આ પાંચ માળના બર્ડ કોરિડોરમાં 6 હોલ છે. તેને બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો છે.  આ એવિઅરીના પાંચ હોલમાં નવા આવેલા કાચબા, રીંછ, તરસ અને ઝરખને રાખવામાં આવ્યા છે.

અહીંના લોકો આ જાનવરોને નજીકથી જોઇ શકે તે માટે અહીં વિશેષ કાચ લગાવાયા છે. લોકો જાનવરો સાથે સેલ્ફી પણ લઇ શકે છે. 44 ફુટ ઉંચા 18234 સ્કવેયર ફુટ ક્ષેત્રફળમાં ફેલાયેલા આ કોરિડોરમાં દેશ-વિદેશથી આવેલા જાનવરો અને પક્ષીઓને રાખવામાં આવશે. રાનીબાગનુ હાલમાં જ સૌંદર્યીકરણ અને આધુનિકીકરણ કરાયું છે. સાથે નવા જાનવરો અને પક્ષીઓના આવવાના કારણે આકર્ષણ વધ્યુ છે. રાનીબાગમાં પ્રકૃતિ, મુંબઇની કળા-સંસ્કૃતિ અને પરંપરાનુ પ્રદર્શન સ્થાયી રીતે શરુ કરાય તેવી યોજના છે. તેનું પ્રદર્શન ઇંટરપ્રિટેશન સેન્ટર ઇમારતના પહેલા માળે કરાશે.

આ પહેલા આ પ્રદર્શન રાજસ્થાનના જયપુરમાં કરાયુ હતુ. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 26 જાન્યુઆરીના રોજ પક્ષીઓ અને પ્રાણીઓ માટે રાનીબાગમાં બનાવાયેલા ફ્રી બર્ડ એવિઅરીનું લોકાર્પણ કર્યુ હતુ. રાનીબાગમાં દેશ-વિદેશથી આવેલા નવા મહેમાનોને જોવા માટે પર્યટકોની ભીડ ઉમટી રહી છે. જે દિવસે લોકાર્પણ થયુ તેજ દિવસે 14 હજાર લોકો તે જોવા પહોંચ્યા હતા. પર્યટકોની ટિકિટથી બીએમસીને એક દિવસમાં 5 લાખની આવક થઇ હતી. નવા પ્રાણીઓના આવવાથી રાનીબાગમાં પર્યટકોની સંખ્યા વધી ગઇ છે. રાનીબાગમાં માર્ચ 2017માં વિદેશથી લવાયેલા હમ્બોલ્ટ પેંગ્વિનના કારણે પર્યટકોની સંખ્યા સાથે આવકમાં પણ વધારો થયો હતો.