પીએમ મોદી 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે
19, સપ્ટેમ્બર 2025 અમદાવાદ   |   2277   |  

આવતીકાલે પીએમ મોદી ભાવનગર આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતિકાલે તા.20 સપ્ટેમ્બરે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગરમાં તેઓ કરોડો રૂપિયાના લોકાર્પણ તથા વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે તેમજ જાહેર સભા પણ સંબોધશે.

પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન મોદી ભાવનગરના એરપોર્ટથી રોડ શો કરીને જવાહર મેદાન પહોંચશે. જ્યાં તેઓ જાહેર સભાને સંબધશે. ભાવનગરના પ્રવાસ દરમિયાન ભાવનગર-અલંગ સહિત સમગ્ર દેશના મહત્ત્વના પોર્ટના શિપિંગ-મેરિટાઈમ સહિતના જુદા-જુદા પ્રકલ્પોના 1.50 લાખ કરોડના એમઓયુ કરશે. આ ઉપરાંત સાગરમાલા 2.0ના 75 હજાર કરોડ, મેરિટાઈમ ડેવલપમેન્ટ બોર્ડના 25 હજાર કરોડ, શિપ બિલ્ડિંગ ડેવલોપમેન્ટના 19,989 કરોડના કામની ઘોષણા કરશે.

ઉપરાંત અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ થઈ રહેલા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution