30, જુલાઈ 2025
શ્રીહરિકોટા |
3267 |
સિંથેટિક અપર્ચર રડાર નિસાર પૃથ્વી પર નજર રાખશે!
આ મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 102મું લૉન્ચિંગ હશે
પૃથ્વી પર નજર રાખનારા સેટેલાઇટ નાસા-ઇસરો સિંથેટિક અપર્ચર રડાર (નિસાર) આજે લૉન્ચ કરવામાં આવશે. ઇસરોનું GSLV-F16 રોકેટ બુધવારે સાંજે 5:40 વાગ્યે નિસાર સાથે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરશે અને સેટેલાઇટને સૂર્ય-સમકાલિકન ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરશે.
આ મહત્ત્વકાંક્ષી મિશન માટે સાંજે 5-30 કલાકની ઉલટી ગણતરી મંગળવારે બપોરે 2:10 વાગ્યે શરૂ થઈ હતી. ઈન્ટરનેટ મીડિયા પર જાહેર કરાયેલા અપડેટમાં ઇસરોએ કહ્યું કે, GSLV-F16, નિસાર કક્ષામાં લઈ જવા માટે તૈયાર છે. અંતિમ તૈયારી ચાલી રહી છે. લૉન્ચિંગની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.
GSLV-F16 ભારતના જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 18મી ઉડાન છે. આ મિશન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 102મું લૉન્ચિંગ હશે. આ સૂર્ય-સમકાલિન ધ્રુવીય કક્ષામાં જતા GSLV રોકેટનું પહેલું મિશન પણ છે.
જોકે ISRO એ ભૂતકાળમાં પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો લૉન્ચ કર્યા છે, જેમાં રિસોર્સસેટ અને રીસેટનો સમાવેશ થાય છે. જોકે, આ ઉપગ્રહોથી એકત્રિત ડેટા ભારતીય વિસ્તાર સુધી જ સીમિત હતું. 2392 કિ.ગ્રા વજનવાળું નિસાર ધરતી પર નજર રાખનારૂં સેટેલાઇટ છે.
ઇસરો અને નાસા મળીને પહેલીવાર એવું સેટેલાઇટ લૉન્ચ કરી રહ્યું છે, જે આખી ધરતી પર નજર રાખશે. નિસાર પ્રત્યેક 12 દિવસો પર આખીય પૃથ્વીની ભૂમિ તેમજ બર્ફીલી સપાટીને સ્કેન કરશે. આ એક સેન્ટીમીટર સ્તર સુધીની સટીક ફોટો ક્લિક કરવા તેમજ તેને પ્રસારિત કરવામાં સક્ષમ છે.