/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કંગના આ સ્થળે શરૂ કરશે કેફે અને રેસ્ટોરન્ટ, કંગનાએ કેટલીક જગ્યાઓનું નિરીક્ષણ કર્યું

મુંબઈ-

બૉલિવુડની જાણીતી અભિનેત્રી કંગના રાનૌત ટૂંક સમયમાં પર્યટન શહેર મનાલીમાં એક રેસ્ટોરન્ટ અને કેફે બનાવશે. કંગનાએ આ માટે મનાલીમાં કેટલીક જગ્યાઓનું નિરીક્ષણ પણ કર્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આ માહિતી શેર કરવામાં આવી છે. પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેલી કંગના રાનૌતે પર્યટન શહેર મનાલીના સિંસા ગામમાં એક મકાન બનાવ્યું છે. હવે તે રેસ્ટોરન્ટ અને કાફે પણ ખોલવા જઈ રહી છે. મંગળવારે તેણે મનાલી નજીક રેસ્ટોરન્ટ માટે એક સ્થળ જોયું અને તેની ટીમ અને બહેન સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં કાફે માટે બાંધકામ શરૂ કરવામાં આવશે.

નોંધપાત્ર વાત એ છે કે, કંગનાએ મનાલીમાં એક ઘર બનાવ્યું છે. ત્યારે દાવો કરવામાં આવે છે કે આ મકાન 30 કરોડનું છે. મળતી માહિતી મુજબ, કંગનાએ અહીં 10 કરોડમાં જમીન ખરીદી હતી અને તે પછી અહીં એક મકાન બનાવવામાં આવ્યું હતું, જેની કિંમત 20 કરોડ છે. કંગનાના આ લક્ઝરી બંગલામાં 8 બેડરૂમ છે. આ ઉપરાંત અહીં ડાઇનિંગ રૂમ, ફાયર પ્લેસ, જિમ, યોગ રૂમ પણ છે. બીએમસીએ મુંબઈમાં કંગનાનું કાર્યાલય તોડ્યાં બાદ અને સુશાંતસિંહ રાજપૂતની શંકાસ્પદ મોતથી કંગના વિવાદોમાં રહી છે. તેઓ દરરોજ કોઈને કોઈ પ્રકારનું નિવેદન આપતા રહે છે. કંગના છેલ્લા છ મહિનાથી સતત સમાચારોમાં રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution