લુપ્ત થતી ચકલીને બચાવવા માટેના પ્રયાસના ભાગરૂપે કંકોત્રીને ચકલીના માળાની જેમ બનાવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ફેબ્રુઆરી 2022  |   3564

ભાવનગર ભાવનગરના એક પરિવારે એવુ વેડિંગ કાર્ડ બનાવ્યુ છે જેનો સીધો ફાયદો ચકલીને થાય છે.હાલ લગ્નની સિઝન પુર બહારમાં ખીલી છે. ત્યારે લોકો પોતાના લગ્નમાં વિશેષ આયોજન કરતાં હોય છે. ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઈ ડાભીએ નાનાભાઈના લગ્ન નિમીત્તે વિશેષ કંકોત્રી બનાવી છે. જે ચકલીના માળા વાળી બનાવી છે. લગ્ન બાદ આ કંકોત્રી ચકલીનો માળો બની જાય છે, જેમા ચકલી વસવાટ કરી શકશે. ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા સરતાનપર બેઠકના ભાજપના સભ્ય વિક્રમ ડાભીએ પોતાના ઘરમાં લગ્નના પ્રસંગમાં પ્રકૃતિને બચાવવામાં ઉપયોગ કર્યો છે. વિક્રમભાઈએ પોતાના ભાઈની કંકોત્રી ચકલીના માળા જેવી બનાવડાવી છે. આ કંકોત્રી એક ચકલીનો બની જાય અને ઘરમાં રાખી ટીંગાડી શકાય છે. વિક્રમભાઈએ જણાવ્યું હતું કે, આજે ચકલી લુપ્ત થતી જાય છે. મારા ભાઈ ઘનશ્યામના લગ્ન છે. ત્યારે આમ તો કંકોત્રી પસ્તીમાં જતી હોય છે ચકલીના માળાને ફરતે કંકોત્રી છાપી નાખવામાં આવી છે. ત્યારબાદ તે પુઠાને લેમીનેશન કરવામાં આવે છે. આ એક કંકોત્રી અંદાજે ૪૦થી ૫૦ રૂપિયા આસપાસ પડે છે.

આ અંગે વિક્રમભાઈને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મે મારા મિત્રને ત્યાં આવી કંકોત્રી જાેઈ હતી જેને લીધી મને આ વિચાર આવ્યો છે. એમાંય હું પ્રકૃતિપ્રેમી છું, આ કંકોત્રીમાં વૃક્ષો, સ્વચ્છ ભારતના સંદેશો, પક્ષીઓના સંદેશાઓ આપવામાં આવ્યા છે. આ માટે તેઓ દરેક મહેમાનને કંકોત્રી આપતા સમયે તેનુ મહત્વ સમજાવી રહ્યાં છે, જેના લોકો વખાણ કરી રહ્યાં છે. લગ્નની કંકોત્રીને ચકલીના માળાની સ્ટાઈલમાં છપાવવા માટે તેમણે અનેક પ્રકારે રિસર્ચ કર્યુ હતું. તેના બાદ રાજકોટમાં કંકોત્રી છપાવવામાં આવી હતી. લોકો અત્યારે લગ્ન પહેલા જ પોતાના ઘર બહાર મૂકી રહ્યા છે અને ચકલીઓ પણ આ માળામાં આવી રહી છે. તેવું મને મારા સગા-સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું છે તેથી મને ખુબ જ આનંદ થયો હતો અને મેં જે આ કાર્ય કર્યું તે સફળ થઇ રહ્યું હોય તેમ લાગે છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution