દિલ્હી-

પાકિસ્તાને યુએનને અપીલ કરી છે કે તે તમામ પ્રકારનાં આતંકવાદી સંગઠનો અને વિચારધારા સામે પગલાં ભરે, ભલે તે હિન્દુત્વ હોય. પાકિસ્તાને સોમવારે યુએન સિક્યુરિટી કાઉન્સિલને કહ્યું છે કે આતંકવાદ સામે લડવાના પ્રયાસો ફક્ત કોઈ ખાસ વિચારધારા અથવા સંગઠન દ્વારા રોકી શકાતા નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ, મુનીર અકરમે 15 સભ્યોની કાઉન્સિલ સામે ચર્ચા દરમિયાન આ વાત કરી હતી. ચર્ચા "આંતરરાષ્ટ્રીય શાંતિ અને આતંકવાદ સામે રક્ષણ માટે જોખમ" વિષય પર હતી.મુનીર અકરમે કહ્યું કે આપણે ISIL, અલ કાયદા અને તેની સાથે સંકળાયેલ સંગઠનો સામે પગલાં ભરવા જ જોઈએ, પરંતુ આપણે આતંકવાદ અને નફરતની મહત્વાકાંક્ષાનો પણ સામનો કરવો જોઇએ. જે આ દિવસોમાં અન્ય સ્રોતો દ્વારા જોઇ શકાય છે. ભારતમાં પણ, જે હિન્દુ કટ્ટરપંથી છે.