નવી દિલ્હી

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ અને લોકશાહી સમયગાળો માનવામાં આવતા 25 જૂન, 1975 ના દિવસને યાદ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "ભારતીય લોકશાહીના ઇતિહાસમાં કટોકટી એક 'કાળો અધ્યાય' ક્યારેય ભૂલી શકાય નહીં. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, 1975 થી 1977 ના ગાળામાં થયેલા વિનાશને ક્યારેય ભૂલી શકાતો નથી, કેવી રીતે આપણી લોકશાહી ભાવનાઓને કચડી નાખવામાં આવી. અમને તે બધી મહાન હસ્તીઓ યાદ છે જેમણે કટોકટીનો વિરોધ કર્યો અને ભારતીય લોકશાહીનું રક્ષણ કર્યું. "

તેમણે વધુમાં કહ્યું કે, "ચાલો આપણે ભારતની લોકશાહી ભાવનાને મજબૂત કરવા, અને આપણા બંધારણના મૂલ્યો પ્રમાણે જીવવાના દરેક પ્રયત્નો કરવાનો સંકલ્પ કરીએ. ભારતના ઇતિહાસમાં આ દિવસે, 25 જૂન, 1975 ના રોજ, કોંગ્રેસ સરકાર દ્વારા દેશભરમાં કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી, જેને દેશના રાજકારણનું 'ડાર્ક ચેપ્ટર' કહેવામાં આવે છે. ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી અને લોકોના હક નાબૂદ કરવામાં આવ્યા હતા."

ગૃહ પ્રધાન અમિત શાહે આ વિશે લખ્યું છે કે, 'એક પરિવાર સામે ઉઠાવવામાં આવેલા અવાજને દબાવવા માટે લાદવામાં આવેલી ઈમર્જન્સી સ્વતંત્ર ભારતના ઇતિહાસનો કાળો અધ્યાય છે.' સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ આ દિવસને યાદ કરીને કહ્યું હતું કે, "દેશની લોકશાહી પરંપરાઓ પર હુમલો કરવા માટે બંધારણનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ક્યારેય ભૂલી શકાય નહીં. આ દરમિયાન દેશમાં લોકશાહીની રક્ષા માટે આંદોલન પણ કરવામાં આવ્યાં હતાં અને લોકોને ખબર નહોતી કે તેઓએ કેટલી યાતનાઓ સહન કરી છે."

25 જૂન 1975ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભલામણ પર દેશભરમાં કટોકટી લાદવાનો આદેશ આપ્યો હતો, જેણે અનેક ઐતિહાસિક ઘટનાઓને જન્મ આપ્યો હતો. આ કટોકટી સંદર્ભે, ઇન્દિરા ગાંધી વતી દલીલો આપવામાં આવી હતી કે કટોકટી લાદવી જરૂરી છે, પરંતુ પડદા પાછળની વાર્તા જુદી હતી. વિપક્ષના વધતા દબાણ વચ્ચે, ઇન્દિરા ગાંધીએ તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ પાસેથી 25 જૂન 1975ની મધ્યરાત્રિએ કટોકટીની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા, જેના પછી આખો દેશ ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીનો બંધક બની ગયો હતો.

ભારતીય રાજકારણના ઇતિહાસમાં આ સૌથી વિવાદાસ્પદ સમય હતો, કારણ કે આ સમય દરમિયાન દરેક વ્યક્તિ કે જેમણે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, તેનો કેદ કરવામાં આવ્યો હતો. 21 મહિનામાં, 11 લાખ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને 21 માર્ચ 1977 ના રોજ, કટોકટી ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.