ખોટ કરતી ટેલિકોમ કંપનીની કામગીરી બીએસએનએલને સોંપવાની તૈયારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2024  |   7326


નવી દિલ્હી:મોદી સરકાર સરકારી ટેલિકોમ કંપની સ્‌દ્ગન્નું સંચાલન મ્જીદ્ગન્ને સોંપવા પર વિચાર કરી રહી છે. સ્‌દ્ગન્ દિલ્હી અને મુંબઈમાં સેવાઓ પૂરી પાડે છે. બે વર્ષ પહેલા સરકારી મદદ છતાં સ્‌દ્ગન્ નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. આથી સરકારને આ પગલું ભરવાની ફરજ પડી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (્‌ર્ંૈં) એ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સચિવોની સમિતિ (ર્ઝ્રજી) પહેલા આ પ્રસ્તાવ પર વિચાર કરશે. ત્યારબાદ તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. એક સૂત્રએ જણાવ્યું કે, ‘બંને કંપનીઓ મર્જ કરી રહી નથી, તેથી શેરબજારમાંથી સ્‌દ્ગન્ને ડિલિસ્ટ કરવાની જરૂર નથી. મર્જરના કિસ્સામાં, સ્‌દ્ગન્ ને શેરબજારમાંથી દૂર કરવા પડશે અને કેટલાક શેર પાછા ખરીદવા પડશે. આ હવે થશે નહીં કારણ કે આ માત્ર કામગીરીનું ટ્રાન્સફર છે. એમટીએનએલની નબળી કામગીરી છતાં કંપનીના શેર પર કોઈ નકારાત્મક અસર જાેવા મળી નથી. ભારે નુકસાન અને ગ્રાહક આધારમાં ઘટાડા છતાં, છેલ્લા એક વર્ષમાં સ્‌દ્ગન્ના શેર મ્જીઈ પર ૧૩૯% વધ્યા છે. ૧૨ જુલાઈ, ૨૦૧૪ના રોજ તે રૂ. ૧૯.૪ હતો, જે હવે રૂ. ૪૬.૩ છે. ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગનો છેલ્લા દાયકામાં જબરદસ્ત વિકાસ થયો છે. પરંતુ, સ્‌દ્ગન્ આનો લાભ લઈ શકી નથી. તેનો બજાર હિસ્સો અને બિઝનેસ પરની પકડ નબળી પડી છે. આવું જ કંઈક મ્જીદ્ગન્ સાથે પણ જાેવા મળ્યું છે. બ્રોડબેન્ડ સહિત વાયરલાઇન બિઝનેસમાં સ્‌દ્ગન્નો હિસ્સો એપ્રિલ ૨૦૧૪માં ૧૨.૫%થી આ વર્ષના એપ્રિલના અંતે ઘટીને ૬% થયો છે. તે જ સમયે, મોબાઇલ બિઝનેસમાં કંપનીનો હિસ્સો ઘટીને લગભગ ૦.૨% થયો છે, જે એક દાયકા પહેલા લગભગ ૦.૪% હતો. મ્જીદ્ગન્ને રોજ-બ-રોજની કામગીરી સોંપવાની દરખાસ્તની અસર સ્‌દ્ગન્ના શેર પર પડી શકે છે. આ કારણ છે કે એમટીએનએલ પાસે સંપત્તિ તરીકે માત્ર જમીન અને ઇમારતો જ રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન્સ (ર્ડ્ઢ્‌) બંને કંપનીઓ વચ્ચેના એકીકરણને ઝડપી બનાવવા માટે ઉતાવળમાં છે. બંને કંપનીઓ સંઘર્ષ કરી રહી છે.

તેમના પુનરુત્થાનની કોઈ આશા જણાતી નથી. સ્‌દ્ગન્ની ખોટ ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ પૂરા થતા વર્ષમાં વધીને રૂ. ૩,૩૦૩ કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. ૨,૯૧૧ કરોડ હતી. તેવી જ રીતે, ઓપરેશન્સમાંથી વાર્ષિક આવક પણ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૫% ઘટીને રૂપિયા ૭૨૮ કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૮૬૨ કરોડ હતી.સ્‌દ્ગન્નું બાકી દેવું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંતે વધીને રૂ. ૨૫,૭૯૫ કરોડ થયું છે, જે એક વર્ષ અગાઉ રૂ. ૨૩,૫૦૦ કરોડ હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution