/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પુલવામા એન્કાઉન્ટર: સેનાએ 1 આતંકવાદીને ઠાર માર્યો, 1 જવાન શહીદ

શ્રીનગર-

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. સેનાએ પુલવામા જિલ્લાના કામરાજીપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં સંતાયેલા બે આતંકવાદીઓને ઘેરી લીધા હતા. ત્યાર બાદ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયો હોવાના પણ સમાચાર છે.

મળતી માહિતી મુજબ બુધવારે સવારે બે વાગ્યે અથડામણની શરૂઆત થઈ હતી અને એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક જવાન ઘાયલ થઈ ગયો હતો. ત્યાર બાદ તેને તરત જ શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન જ જવાન શહીદ થઈ ગયો હતો અને તે સિવાય અન્ય એક જવાન પણ ઘાયલ હોવાના સમાચાર છે. ઘાયલ જવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ડોક્ટર્સે તેની સ્થિતિ સ્થિર હોવાની માહિતી આપી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution