મુંબઈ
નાણાકીય વર્ષ ૨૦૨૨ ના પહેલા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેકનો નફો ૭ ટકા ઘટીને ૧૧૫.૪ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેકનો નફો ૧૨૪.૪ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨ પહેલા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેકની આવક ૧૧.૨ ટકા ઘટીને ૧,૩૦૯.૨ કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ ચોથા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેકની આવક ૧,૪૭૫ કરોડ રૂપિયા રહી હતી. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેકના એબિટ ૨૫૬.૫ કરોડ રૂપિયાથી ઘટીને ૨૩૧.૯ કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટ માર્જિન ૧૭.૪ ટકાથી વધીને ૧૭.૭ ટકા રહ્યા છે.
Loading ...