જુનાગઢ,વેરાવળ - કોડીનાર હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પ્રાસલી ગામ નજીક બ્રીજ પર ચડી જતા લટકી ગઈ હતી. જાે કે, બસમાં માત્ર ત્રણ જ મુસાફરો સવાર હતા, જેઓનો સદનસીબે હેમખેમ બચાવ થઈ હતો. આ અકસ્માતમાં બસનો ચાલક નશામાં હોવાનો મુસાફરો આક્ષેપ કરી રહ્યા હતા.
મંગળવારના રોજ બપોરના અરસામાં કોડીનારથી વેરાવળ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ રસ્તામાં પ્રાસલી ગામ નજીક પહોંચી હતી. દરમિયાનમાં ટ્રાવેલ્સ બસના ચાલકે બસના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રાવેલ્સ બસ રસ્તામાં બની રહેલા બ્રીજ પર ચડી જઇ લટકી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર ત્રણ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સદનસીબે ત્રણેય મુસાફરોને હેમખેમ બસની બહાર કાઢવામાં આવ્યા હતા. જાે કે આ વિચિત્ર અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો અને ચાલકો ટ્રાવેલ્સ બસને લટકતી હાલતમાં નિહાળી આશ્ચર્યચકિત જાેવા મળતા હતા. આ અકસ્માતને લઈ મુસાફરો દ્વારા બસનો ચાલક નશો કરેલી હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ થતા પોલીસ અકસ્માતના સ્થળે રવાના થઈ છે.
Loading ...