પુત્રવધુને માર મારી રહેલા પુત્રને છોડાવવા જતા પુત્રએ કરી પિતાની હત્યા
21, ડિસેમ્બર 2020

સુરત-

પુત્રવધુને માર મારી રહેલા પુત્રથી પુત્રવધુને છોડાવવા જતા પુત્રે પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. સુરતના ડીંડોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઈન્ટ પાસે નવો હળપતિવાસ પાસે મનોજ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે. શનિવાર રાત્રે તેમનો પુત્ર મહેન્દ્ર તેની પત્ની ચૈતાલીને મોડું થતા માર મારી રહ્યો હતો. જેથી તેના પિતા તેને રોકવા વચ્ચે પડ્યા હતા. જેમાં પિતાને ધક્કો મારી મહેન્દ્રએ પોતાની પાસે રહેલું ચપ્પુ તેના પિતાને મારી દીધું હતું. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પુત્રવધુને માર મારી રહેલા પુત્રને છોડાવવા જતા પુત્રે પિતાની જ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. સુરતના ડીંડોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution