અમદાવાદ: ​​​​​​​એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, કોવિડ હોસ્પિલમાં દાખલ દર્દીઓનું રેસ્ક્યુ કરી બચાવાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2021  |   1188

અમદાવાદ-

શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે જેના પગલે ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. 5 108 અને અન્ય 4 ઍમ્બુલન્સ બોલાવી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશ મછરા પણ નરોડા ખાતે દોડી ગયા હતા અને તમામ દર્દીઓને સહી સલામત SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની કાર્યવાહી કરાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં 8 દર્દીઓને SVP હોસ્પિટલ ખસેડ્યાં છે. જેથી અન્ય દર્દીઓની સારવાર ફરી શરૂ થઈ ગઈ છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution