ગોધરા, ગોધરા ખાતે કડીયાવાડ વિસ્તારમાં જે મકાનના પાયાના ખોદકામ દરમ્યાન જૈન ધર્મની પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી, આ ર્ડા.મઝાહીર મીઠીબોરવાલાના બંધાઈ રહેલા મકાનના બાંધકામને પ્રાંતઅધિકારીના આદેશ બાદ ગોધરા પાલીકાના ચીફ ઓફીસર દ્વારા સીલ કરવામાં આવ્યું હોવાની કાયદેસર કાર્યવાહીઓથી ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. એમાં હવે મકાનના પાયાના ખોદકામ દરમ્યાન જૈનો ધર્મના ભગવાનની સેકડો વર્ષ જુની જે પ્રાચીન મુર્તિઓ મળી આવી આ ઘટનામાં હવે પુરાતત્વ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળેની મુલાકાત લેશે આ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.મુર્તિઓ મળ્યા બાદ ગોધરા ન.પાલીકાના સત્તાધીશોએ તાત્કાલીક અસરથી પુરાતત્વ વિભાગને જાણ કરવાના બદલે ભુલી જવાના વહીવટ સામે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પંચમહાલ કલેક્ટર કચેરીમાં લેખીતમા રજુઆતો પણ કરવામાં આવી હતી. મિલકતને સીલ કરવાની નોટીસ ચોટાડીને આ મિલકતમા પ્રવેશબંધી ફરમાવી હતી.
Loading ...