અમદાવાદ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોનાએ બાનમાં લીધા બાદ હવે ફરી અમદાવાદમાં કેસોમાં વધારો થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શનિવારે શહેરમાં ૧૮૫ કેસ નોંધાતા શહેરના બોડકદેવ અને બોપલ સહિત વધુ ૫ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે.

કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતાં એએમસી દ્વારા શનિવારે વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ઘોડાસર, સાઉથ બોપલ, બોડકદેવ અને ત્રાગડ રોડનો સમાવેશ થાય છે. આ પાંચ વિસ્તારમાં આવેલા ૬૪ મકાનોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેથી આ ઘરોમાં રહેતા ૨૪૨ લોકો હવે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેવું પડશે. જાે કે, ૪ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે.