/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ કાયદાની કોપીઓ સળગાવાઇ 

ઝાલોદ

ઝાલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગુરુવારે બપોરે બસ સ્ટેશન પાસે આવેલ સરદાર ચોકમાં તાજેતરમાં દેશની કેન્દ્ર સરકાર દ્વારા બન્ને સદનમાં પસાર થઈ પાસ થયેલ ત્રણ કાયદા પસાર કરવા માં આવ્યા હતા. તે ત્રણ કાયદાઓ ને કોંગ્રેસ દ્વારા કાળા કાયદા ગણાવ્યા હતા.જે અંતર્ગત દિલ્હી ની સિંધુ સરહદે આ ત્રણ કાળા કાયદા રદ કરવા માટે આંદોલન કરિ રહેલ ખેડૂત ભાઇ ઓ માંથી ૨૯ જેટલા ખેડૂત ભાઇઓ શહિદ થયેલ છે તે બાબતે આંદોલન કરી રહેલ ખેડૂતો ને ટેકો જાહેર કરી ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા તેમની શહાદત ને શ્રધ્ધાંજલિ અર્પી સાથે સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા ને ફુલહાર કરી શહિદો ની આત્મા ને શાંતી મળે અને આંદોલનમાં મોત ને ભેટેલા ખેડૂતોના પરિવારજનોને ભગવાન હીંમત પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે કેન્ડલ પ્રગટાવી બે મીનીટ નુ મૌન રાખી શ્રધ્ધાંજલી આપી હતી .તે બાદ કેન્દ્ર સરકાર દ્ધારા પસાર કરવા માં આવેલ ત્રણ કાયદા ની હોળી કરવા માં આવેલ હતી.જે દરમિયાન ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મુકેશભાઇ ડાંગી સહિત અનેક કોંગ્રેસ પક્ષ ના કાર્યકરતા ઓ ઉપસ્થિત રહેલા હતા.તે દરમિયાન વિરોધ કરી રહેલ કોંગ્રેસ કાર્યકરતાઓને ઝાલોદ પોલિસ દ્ધારા ધરપકડ કરી ડિટેઇન કરવા માં આવ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution